લગભગ દરેક હિંદુઓના ઘરમાં, ભગવાનની સમક્ષ દીવાને દૈનિક પ્રગટાવવામાં આવે છે. કેટલાક ઘરોમાં તે પરોઢે પ્રગટાવવામાં આવે છે. કેટલાક ઘરોમાં, દિવસમાં બે વાર, વહેલી સવારે અને સાંજના સમયે અને કેટલાક ઘરોમાં તે સતત (અખંડ દીવો) પ્રગટાવી રાખવામાં આવે છે.

દૈનિક પૂજા, ધાર્મિક વિધિઓ અને તહેવારો અને ઉદ્દઘાટન જેવા ઘણા સામાજિક પ્રસંગોની શરૂઆત દીવાના પ્રકાશથી થાય છે, જે ઘણી વખત આખા પ્રસંગ દરમિયાન પ્રગટાવી રાખવામાં આવે છે.

પ્રકાશ જ્ઞાન, અંધકાર અને અજ્ઞાનને પ્રતીકિંત કરે છે. ભગવાન એ “જ્ઞાન નો સિદ્ધાંત” (ચૈતન્ય) છે, જે સ્રોત છે, સર્વ જ્ઞાન અને પ્રકાશક છે. તેથી પ્રકાશ પોતે ભગવાન તરીકે પૂજા થાય છે જેમ પ્રકાશ અંધકાર દૂર કરે છે તેમ જ્ઞાન અજ્ઞાન દૂર કરે છે. જ્ઞાન એ એક સ્થાયી આંતરિક સંપત્તિ છે જેના દ્વારા તમામ બાહ્ય સિદ્ધિઓ પરિપૂર્ણ કરી શકાય છે.

તેથી આપણે સંપત્તિના તમામ સ્વરૂપોના મહાન સ્વરૂપ તરીકે જ્ઞાનને નમન કરનારા દીવાને પ્રગટાવીએ છીએ. જ્ઞાન આપણી બધી સારી કે ખરાબ ક્રિયાઓનું સમર્થન કરે છે. તેથી આપણે બધા શુભ પ્રસંગોએ પ્રગટાવીએ છીએ જે આપણા વિચારો અને ક્રિયાઓનો સાક્ષી છે.

આપણે શા માટે એક બલ્બ અથવા ટ્યુબ લાઇટ નથી પ્રગટાવતા?

તે પણ અંધકાર દૂર કરશે. પરંતુ પરંપરાગત તેલ દીવો વધુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. દીવામાં તેલ કે ઘી આપણી વાસના અથવા નકારાત્મક વલણ અને દુષ્ટતા અને અહંકારનું પ્રતીક છે.

જ્યારે આપણામાં આધ્યાત્મિક જ્ઞાન પ્રકાશિત થાય છે, ત્યારે વાસના અને અહંકાર ધીમે ધીમે ઓછા થાય છે આખરે નાશ પામે છે. દીવાની જ્યોત હંમેશાં ઉપરની તરફ બળે છે એ જ રીતે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું જેથી આપણને ઉચ્ચ આદર્શો તરફ લઈ શકાય.

જેમ એક દીવો સેંકડો વધુ દીવા પ્રકાશીત કરી શકે છે અથવા પ્રગટાવી શકે છે, એ જ રીતે જ્ઞાની માણસ પોતાનું જ્ઞાન ઘણા બીજા  ઘણા વધુ લોકો ને આપી શકે છે. એક દીવાનો ઉપયોગ બીજા અનેક દીવા પ્રગટાવવા માં થતો હોવા છતા તેણી  દિવ્યતા ઘટની નથી. તેથી જ્યારે જ્ઞાન અન્ય લોકો સાથે વહેચવામાં આવે અથવા આપેલું હોય ત્યારે તે ઓછું થતું નથી તેનાથી વિપરીત, જ્ઞાન આપવાથી તેની સ્પષ્ટતા અને પ્રતીતિ વધે છે. તેનાથી જ્ઞાન મેળવનાર અને જ્ઞાન આપનાર બંનેને લાભ થાય છે.

આ રીતે આ રિવાજમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક સંપત્તિ ના અર્થ તરીકે સમાવેશ થાય છે.